Saturday 8 August 2020
Sunday 5 July 2020
વિત આયોગ ( નાણાપંચ )
- બંધારણના અનુચ્છેદ ૨૮૦ મુજબ રાષ્ટ્રપતિ દર ૫ વર્ષે નાણાપંચની રચના કરે છે.
- નાણાંપંચની રચના દેશ અને રાજ્યની વચ્ચે નાણાંકીય વહેચણીમાં ફેરફાર કરવા માટે કરવામાં આવે છે.
- નાણાંપંચમાં ૫ સભ્યોની નિમણુક ૫ વર્ષ માટે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
- અત્યારે ૧૫નું નાણાંપંચનું આયોજન કરવામાં આવ્યું છે.
- ૧૫માં નાણાપંચના ચેરમેન નંદ કિશોર સિંઘ.
- નાણા પંચમાં સૌથી મહત્વની કડી કેન્દ્રીય કરવેરામાંથી હિસ્સો મેળવવાની હોય છે.
બીજા ચાર (૪) સભ્યોની લાયકાત નીચે મુજબ હોવી જોઈએ.
- ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનવાની લાયકાત ધરાવતો વ્યક્તિ.
- સરકારના નાણાંકીય બાબતોના હિસાબનું વિશેષ જ્ઞાન ધરાવતો વ્યક્તિ.
- કુશળ અર્થશાસ્ત્રી
- વહીવટી અને નાણાંકીય બાબતોનો વિશેષ અનુભવ ધરાવતો વ્યક્તિ.
ગેરકાયદેસર પ્રવૃતિઓ (નિવારણ) સુધારા બીલ ૨૦૧૯ – UAPA Bill - 2019
- ગેરકાયદેસર પ્રવૃતિઓ (નિવારણ)
સુધારા બીલ ૨૦૧૯ – UAPA Bill - 2019.
- મુખ્ય કામ આંતકવાદ અને નકસલવાદ જેવી સમસ્યાનો સામનો કરવાનો છે.
- UAPA માં મોલીક અધિકારનું ઉલ્લંઘન નથી.
- આ ખરડામાં આંતકી કૃત્યને અંજામ આપનાર કે તેમાં સામેલ સંગઠનો કે વ્યક્તિઓ , આંતકવાદને પ્રોત્સાહન આપનાર સંગઠનો કે વ્યક્તિઓને આંતકી સંગઠન કે આંતકવાદી જાહેર કરવાની જોગવાઈ છે.
- આંતકી કેસોની તપાસના ભાગરૂપે આંતકવાદી સંગઠનો કે વ્યક્તિઓની મિલકત જપ્ત કરી શકાશે જેના માટે NIAના ડાયરેક્ટર જનરલની મંજુરી લેવી જરૂરી છે.